Dr. Ambedkar Awas Yojana: ડૉ. આંબેડકર આવાસ યોજના, જરૂરી ડોક્યુમેન્ટ, જાણો અરજી કેવી રીતે કરવી

Sponsored Ads

Ambedkar Awas Yojana| આંબેડકર આવાસ યોજના: ગુજરાતમાં ઘણાં કુટુંબો ઘર વિહોણા છે તેમજ તેઓને પોતાનું પાક્કું અને રહી શકે તેવું મકાન નથી.તો રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતી ના લોકોને આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવા માટે ₹1,20,000 ની સહાય આપવામાં આવે છે. આ સહાય કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે.

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ (SC) જ્ઞાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવા લાયક મકાન ન હોય એમને Dr Ambedkar Awas Yojana  આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

Dr. Ambedkar Awas Yojana: આંબેડકર આવાસ યોજના

યોજનાનું નામડૉ. આંબેડકર આવાસ યોજના: Ambedkar Awas Yojana
લાભાર્થીઅનુસૂચિત જાતિના લોકો
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
મળવાપાત્ર સહાય₹1,20,000 રૂપિયા ની સહાય
સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in
હેલ્પલાઈન નંબર07923259061

આંબેડકર આવાસ યોજના શું છે?

Sponsored Ads

આંબેડકર આવાસ યોજના થકી ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના લોકો ને ઘર બાંધવા માટે ₹1,20,00 ની સહાય આપવામાં આવે છે. આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે. આ રકમ થી સારું મકાન બનાવી શકાય છે. તેમજ મફત માં મકાન મળી જાઈ છે. આ યોજના નો લાભ સફાઈ કર્મીઓ તેમજ જેમને કાચું મકાન હોય તેમને આ યોજના નો લાભ મળતો હોય છે.

Ambedkar Awas Yojana યોજનાનો હેતુ

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે.

તેમજ ઘર વિહોણા અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.આ સહાય કુલ ૩ હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે.આ યોજના માં પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો તેમજ ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો આપવામાં આવે છે.આમ કુલ ૧,૨૦,૦૦૦ આપવામાં આવે છે.

Sponsored Ads

આંબેડકર આવાસ યોજના માં કોણ લાભ લઈ શકે છે? 

આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા હોવી જોઈએ જે નીચે મુજબ છે:

  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકે.
  • અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.600,000 થી વધુ ન હોવી જોઇએ.
  • અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજી માં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે.
  • અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
  • જો લાભાર્થી એ અગાઉ આ પ્રકારની યોજના નો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
  • જયારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.
  • આવાસ સહાય નો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસ નું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.

Ambedkar Awas Yojana મળવાપાત્ર લાભ

આંબેડકર આવાસ યોજના હેઠળ નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • આ યોજના હેઠળ લાભાર્થી ને પોતાનું પાક્કું ઘર મળશે.
  • ઘર બાંધવા માટે કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થશે.
  • આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે.
  • પ્રથમ હપ્તો ૪૦,૦૦૦ નો બીજો હપ્તો ૬૦,૦૦૦ નો અને ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો ચૂકવામાં આવશે.
  • આમ, કુલ ૧,૨૦,૦૦૦ ની સહાય મળશે.
  • તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી ના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલય સહિત નું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે.
  • પહેલા ૪૦,૦૦૦ ત્યાર પછી ૬૦,૦૦૦ અને લાસ્ટ માં ૨૦,૦૦૦ એમ આપવામાં આવે છે.

Ambedkar Awas Yojana જરૂરી ડોક્યુમેન્ટ

આંબેડકર આવાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

  • અરજદાર નું આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર 
  • રેશનકાર્ડ 
  • જાતિનો દાખલો 
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ડ્રાઇવિંગ લાઇસન્સ/ભાડાકરાર,ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ પૈકી કોઈપણ એક
  • જમીન માલિકીનો પુરાવો
  • બેન્ક પાસબુક 
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીન ના ક્ષેત્રફ્ળ દર્શાવતા નકશા ની નકલ
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • સ્વ ઘોષણા પત્ર
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ / જર્જરિત મકાન નો ફોટો

આંબેડકર આવાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી

આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
  • બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
  • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
  • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે. 
  • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

Ambedkar Awas Yojana ની મહત્વપૂર્ણ લિંક્સ:

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો 
હોમ પેજઅહીં ક્લિક કરો 
હેલ્પલાઈન નંબર07923259061