Tar Fencing Yojana: ખેતરના પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના

Sponsored Ads

Tar Fencing Yojana: સ્થાનિક ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવાના પ્રયાસરૂપે, ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તાર ફેન્સીંગ યોજના ગુજરાત અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના, જે 2005 માં તેની શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારોમાંથી પસાર થઈ છે, તેનો હેતુ તેની અસરકારકતા વધારવા અને વધુ ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે. ખેડૂતોની આવક વધારવાના લક્ષ્‍યાંક સાથે, ગુજરાત સરકાર આ લક્ષ્યને હાંસલ કરવા માટે સક્રિયપણે સામેલ છે.

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલ ‘સત કરણ ખેડૂત કલ્યાણ’ નામના કાર્યક્રમ હેઠળ રાજ્યના 33 જિલ્લાઓમાં ફેલાયેલા 80 વિસ્તારોને આવરી લેવાયા છે. આ લેખ તાર ફેન્સીંગ યોજના, તેના ઉદ્દેશ્યો, ફાયદાઓ અને વિશિષ્ટતાઓની વિગતોનો અભ્યાસ કરશે.

વાયર ફેન્સીંગ યોજના :Tar Fencing Yojana

યોજનાનું નામવાયર ફેન્સીંગ યોજના: Tar Fencing Yojana
લાભાર્થીગુજરાત રાજ્યના ખેડૂતો
રાજ્યગુજરાત
સહાયરૂ. 100 પ્રતિ રનિંગ મીટર અથવા ખર્ચના 50%, જે ઓછું હોય તે.
અરજીનો પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઇટikhedut.gujarat.gov.in

તાર ફેન્સીંગ યોજનાનો હેતુ 

Sponsored Ads

રાજ્યના ખેડૂતો માટે અઢળક યોજનાઓ બનાવેલ છે. ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના ખેડૂતો માટેની જ યોજના છે.  તાર ફેન્સીંગ યોજનાનો હેતુ ખેડૂતોના પાકને જંગલી ભૂંડ, ડુક્કર અને નીલ ગાય, હરણ થી બચાવવાનો છે, જેથી આ પ્રાણીઓ દ્વારા ઉભા પાકને થતા નુકસાનને ઓછું કરી શકાય.

તાર ફેન્સીંગ યોજનાના ફાયદા

Tar Fencing Yojana હેઠળ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે. ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.

Tar Fencing Yojana માટેની પાત્રતા

આ યોજના વ્યક્તિગત ખેડૂતો અથવા ખેડૂતોના જૂથની અરજી હાલમાં મૂલ્યાંકન કરવામાં આવશે. સમીક્ષા પ્રક્રિયામાં ખેડૂત અથવા ખેડૂત જૂથની વિગતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં તેમની અરજી અને તેમના બેંક નાણાંકીય ખાતા વિશે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.

Sponsored Ads
  • આ યોજનાનો લાભ ગુજરાતના નાગરિકોને મળશે.
  • ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • 2 હેક્ટર જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતોને લાભ મળશે.
  • આધારકાર્ડ ધરાવતા હોય એમને લાભ મળશે.
  • ખેડૂતો 7/12 અને 8-A નો વિસ્તાર ધરાવતા ખેડૂતોને લાભ મળશે.

તાર ફેન્સીંગ યોજના  માટે કેવી રીતે અરજી કરવી?

તાર ફેન્‍સિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

  • સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • જે રિઝલ્ટ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજના” ની વિવિધ યોજનાઓ બતાવશે.
  • જેમાં “Tar Fencing Yojana” માં  પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં તાર ફેન્‍સીંગ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.

Application Form

  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ I khedut portal પર રજીસ્ટર કરેલું નથી
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો